ગુજરાતમાં ફરી 4 દિવસ વરસાદની આગાહી: ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ ની આગાહી?

રાજ્યમાં વરસાદને લઇ આગાહી કરતા હવામાન વિભાગે કહ્યું કે આગામી 4 દિવસ ગુજરાત વરસાદ આવી શકે છે 

ગુજરાતમાં ફરી 4 દિવસ વરસાદની આગાહી


Gujarat Rain Alert:  ગુજરાતમાં વરસાદના 4 રાઉન્ડમાં વરસાદે તોફાની બેટિંગ કર્યા બાદ હાલ વરુણદેવ થોડા શાંત જોવા મળી રહ્યા છે. રાજ્યના અમુક  વિસ્તારોમાં વરસાદ પર નું પ્રમાણ ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે. જોકે, હાલ પણ  ગુજરાત રાજ્યમાં વધુ વરસાદનું અનુમાન છે. ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ અનુમાન કરે છે. જે  અનુસાર આગામી 4 દિવસ સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં મેઘરાજા ફરી આગમન કરી શકે છે. 

ગુજરાત રાજ્યના આ વિસ્તારમાં આજે વરસાદની આગાહી

હવામાન ખાતા મુજબ આજે ગુજરાતના 15થી વધુ તાલુકાઓમાં મેઘરાજા ની આગાહી છે. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. આજે સુરત, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, વડોદરા, પંચમહાલ, દાહોદ, તાપી, દમણ,  ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે. જોકે, હમણાં ગુજરાતના એક પણ જિલ્લામાં રેડ એલર્ટ નથી જે રાહતની વાત છે.

જાણો : ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ ની આગાહી? જિલ્લા પ્રમાણે 

સાયક્લોનિક સર્ક્યુલેશન લો-પ્રેશરમાં ફેરવાયું

હવામાન ખાતાએ આપેલી વિગત અનુસાર, બંગાળની ખાડીમાં હાલ cyclonic circulation બની ગયું હતું અને હવે તે low-pressure એરિયામાં ફેરવાઈ જશે. આ સિસ્ટમ low-pressure એરિયા બન્યા બાદ આગળ જશે અને તે ફરી રાજ્યમાં  કેટલાક વિસ્તારોમાં મેઘરાજા આવે તેવી આશા છે.  

ઓક્ટોબરમાં પણ વરસાદ નું અનુમાન

હવામાન ખાતા ઉપરાંત હવામાન એક્સપર્ટ અનુમાન લગાવે છે કે આવતા મહિને  પ્રથમ અઠવાડિયામાં પણ મેઘરાજાનો એક રાઉન્ડ વરસાદ નું અનુમાન છે. અને આશરે તા. 9 October અને 10 October સુધીમાં રાજ્યમાંથી ચોમાસું પૂરું વિદાય લઇ શકે તેવું અનુમાન લગાવી રહ્યા છે. 

આ વર્ષે 100 ટકાથી પણ વધુ વરસાદ પડ્યો  

આપને જણાવી દઈએ કે, ચોમાસાના 4 રાઉન્ડના મેઘરાજા એ વરસાદથી ચાલુ September મહિનામાં ગુજરાતમાં અત્યાર સુધીમાં 168.84 MM  વરસાદ આવ્યો  છે. ગુજરાતમાં વરસાદની ટકાવારીની વાત કરીયે તો હાલ તે 100 ટકાથી પણ વધી ગઈ છે. 


Gujju Samachar

Daily Breaking News


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ