Gujju Samachar આત્મનિર્ભર ગુજરાત યોજના : 2% વ્યાજની લોન માટે આ તારીખથી મળશે ફોર્મ | Gujju Samachar

બ્રેકીંગ ન્યૂઝ WhatsApp પર મેળવવા ગ્રુપ જોઈન કરો Join Now!


આત્મનિર્ભર ગુજરાત યોજના : 2% વ્યાજની લોન માટે આ તારીખથી મળશે ફોર્મ



કોરોના મહામારીના જંગમાં દેશના સામાન્ય લોકોને સહાયરૂપ થવા કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 20 લાખ કરોડના પેકેજ સાથે આત્મનિર્ભર ભારત અભિયાન (Atma Nirbhar Bharat Abhiyan) ની જાહેરાત કરવામાં આવી છે.

જેના ભાગરૂપે ગુજરાતના તમામ નાના વ્યવસાયકારોને મદદરૂપ થઇ શકાય તે હેતુથી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી છે.

આત્મનિર્ભર ગુજરાત: 1 લાખની લોન,માત્ર 2%ના દરે, 6 મહિના પછી હપ્તા

રાજ્યમાં નાના વ્યવસાયકારો, દુકાનદારો, ફેરિયાઓ, રીક્ષાચાલક સહિતના વ્યકિતગત ધંધા-વેપાર કરતા અને કારીગરોને લોકડાઉનની સ્થિતિમાંથી પુન: બેઠા કરવા જાહેર કરેલી આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના માટેના અરજી ફોર્મ આગામી 21મી મેથી અપાશે.



આવા અરજી ફોર્મ રાજ્યભરમાં 1000 જેટલી જિલ્લા સહકારી બેંકની શાખાઓ, 1400 અર્બન કો-ઓપરેટિવ બેંકો અને 7000થી વધુ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીઝ મળી કુલ 9 હજાર જેટલા સ્થળોએથી મેળવી શકાશે.

આ મહત્વાકાંક્ષી યોજનાનો લાભ લેવા માટે માત્ર અરજી ફોર્મ ભરીને તા. 31મી ઓગષ્ટ સુધીમાં પરત આપવાના રહેશે. અન્ય કોઇ ફી કે ચાર્જ આ હેતુસર લેવામાં આવવાનો નથી. 
આ યોજના અંતર્ગત નાના વ્યવસાયકારો, કારીગરો-ધંધો રોજગાર કરનારા 10 લાખ જેટલા વ્યક્તિઓને 3 વર્ષ માટે રૂ. 1 લાખ સુધીની લોન માત્ર 2 ટકાના વ્યાજે આપવામાં આવશે. 

આ લોન કોઇ પણ જાતની ગેરેન્ટી વગર અપાશે. તેમજ માત્ર 2 ટકા વ્યાજના દરે આપવામાં આવશે. એટલું જ નહિ, લોનના પ્રથમ ૬ માસ સુધી કોઇ હપ્તો પણ વસુલવામાં નહિ આવે. 
નાના ધંધો-વ્યવસાય કરનારાઓ વાળંદ, ધોબી, પ્લંબર, નાની કરિયાણા દુકાન, ફેરિયાઓ, રીક્ષાચાલક વગેરેને વ્યાજનો બોજ વહન ન કરવો પડે તે કારણે રાજ્ય સરકાર બાકીના 6 ટકા વ્યાજ ભરશે.

આત્મનિર્ભર ગુજરાત યોજના:

📢 યોજના 21/05/2020 ના રોજ થી શરૂ થશે.
📢 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31/28/2020 રહેશે.
📢 યોજનાના ફોર્મ નજીકની સહકારી બેંકો તથા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાંથી વિના મૂલ્યે મળશે.
📢વાર્ષિક 2% વ્યાજના દરે વધુમાં વધુ રૂ.1 લાખનું ધિરાણ મળશે જેને 30 સરખા હપ્તામાં ત્રણ વર્ષમાં પરત ચુકવણું કરવાનું રહેશે.
📢ધિરાણ મંજુર થયા પછી ના 6 માસ સુધી કોઈ મુદ્દલ અને વ્યાજનો હપ્તો ભરવાનો નથી, પરંતુ ત્યારબાદ એકસરખા 30 હપ્તાથી ધિરાણ ભરપાઈ કરવાનું રહેશે.
📢રાજ્ય સરકાર આ ધિરાણ માટે સ્ટેમ્પ ડ્યુટી ભરવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે.
📢તા.01/01/2020 રોજ જે ધંધો કરતા હોય તે જ ધંધો માટે ધિરાણ મળવાપાત્ર રહેશે.

🚨 : Warning : 🚨

અમારી પોસ્ટ/ફોટો/કન્ટેટ વાપરતા લોકો એ ક્રેડિટ (Backlink) આપવી જરૂરી છે. નક્કર મુશ્કેલીમાં મુકાઈ શકો છો. અમે આશા રાખીયે છીએ અમારી મેહનત ને તમે Credit જરૂર આપશો.

Note :
(નોંધ – આ લેખમાં દર્શાવવામાં આવેલી માહિતી સામાન્ય વિગતોને આધારે છે. કોઈપણ વસ્તુ અપનાવતા પહેલા નિષ્ણાતોની સલાહ લો. gujjusamachar.com આની પુષ્ટિ કરતું નથી અને જવાબદાર રહેશે નહિ. આ કોઈ ડોક્ટરની સલાહ નથી. અમારો હેતુ માત્ર તમને સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવવાનો છે)
Disclaimer:
The views and opinions expressed in article/website are those of the authors and do not Necessarily reflect the official policy or position of gujjusamachar.com. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, Company, individual or anyone or anything.