Type Here to Get Search Results !

Gujarat News : Facebook પર દોસ્તી કરવી પડે ભારે ! મળવા બોલાવી કર્યો બળાત્કાર


Facebook Love Story ભાવનગરમાં વિદ્યાર્થીની પર બળાત્કાર, આરોપીની ધરપકડ
- સોશીયલ મિડીયાના માધ્યમથી યુવક-યુવતીની ઓળખાણ થઈ હતી
- ઉત્તરપ્રદેશના યુવાને ભાવનગરના જવાહર મેદાનમાં વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારી મારમાર્યાની ફરિયાદ નોંધાઈ


ભાવનગર શહેરની એક વિદ્યાર્થીની પર ઉત્તરપ્રદેશના એક યુવાને બળાત્કાર કરી મારમાર્યાની ફરિયાદ યુવતીએ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સોશીયલ મિડીયાના માધ્યમથી યુવક-યુવતી સંપર્કમાં આવ્યા હતા અને યુવાને યુવતી પર બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામેલ છે.

Tech: Xiaomi નો Warm Cup, ચા-કોફી ગરમ રાખવાની સાથે Mobile ને પણ કરશે ચાર્જ

Love Story પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, રાજસ્થાનની વતની અને શહેરના વિદ્યાનગરમાં આવેલ એક કોલેજમાં અભ્યાસ કરતી રર વર્ષીય યુવતી પર ગત તા. ર૩ ઓકટોબરથી તા. ૧૦ નવેમ્બર દરમિયાન ભાવનગર શહેરના જવાહર મેદાનના જાળી જાખરામાં વિકાસ ઉર્ફે આદીત્ય રામસેવકસીંગ યાદવ (ઉ.ર૩ રહે. નગલાકલુબા, પોે. વસુંધરા હવાગઢ, જિ. એટા, ઉત્તરપ્રદેશ) નામના યુવાને બળાત્કાર કર્યો હતો.

વિદ્યાર્થીનીને યુવકે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મારમાર્યો હતો. યુવકે યુવતીના ફોટો તેના સંબંધીને મોકલ્યા હતાં. Facebook Love આ બાબતે ભાવનગરની ઘોઘા રોડ પોલીસે ગઈકાલે શનિવારે યુવતીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી અને આજે રવિવારે બપોરના સમયે ઉત્તરપ્રદેશના યુવાનને ગુજરાતમાંથી જ ઘોઘા રોડ પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. યુવક પણ અભ્યાસ કરતો હોવાનુ જાણવા મળેલ છે.

Tech: હવે Robot લઈને આવશે કરીયાણા નો સામાન ! ભાવ જાણીને ચોંકી જશો

યુવક અને યુવતી બંને Facebook ના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતાં. ત્યારબાદ મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. Whatsapp પર વાતચીત થઈ હોવાનુ યુવતીએ પોલીસને જણાવ્યુ હતું. વિદ્યાર્થીની સાથે યુવકે બળાત્કાર કરતા ચકચાર મચી જવા પામેલ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

https://www.reporter17.com/2019/12/hindi-facebook-true-love-story.html
Tags

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!