Type Here to Get Search Results !

Viral News : શું તમે સફેદ માટલાનુ પાણી પીવો છો? કેટલું કરે નુકસાન

આ માહિતીને વાંચીને તમને તમામ પ્રકારના તમારા મનમાં આવતા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે..

શું સાચે જ આ માટલા કચરામાંથી બને છે ?કે પછી કોઈ બીજી રીતે બને છે ? અને બીજી રીતે બને છે તો કઈ રીતે બને છે ?શું હાનિકારક કચરામાંથી સફેદ માટલા બની શકે છે ? આ પાણી પીવામાં આવે તો કેવા પ્રકારના રોગ થઈ શકે ?


આજ કાલ આ એક ન્યુઝ બહુ વાઈરલ છે. ટેકનોલોજી જેટલી માણસ માટે ઉપયોગી છે ક્યારેક તે જ હાનીકારક બની જાય છે. સોસીયલ મીડિયાનો ઉપયોગ તો સારા કામ માટે કરવો જોઈએ. અને તેના માટે જ તેની શોધ થઇ પણ આજ કાલ અમુક લોકો તેમાં ગમે તેવા ખોટા ન્યુઝ કોઈ પણ જાત ના નોલેજ વિના જ બેફામ પોસ્ટ કરી રહ્યા છે. અને હમણાં જ એક આવી ખબર કોઈક એ પોસ્ટ કરી હતી કે સફેદ માટલા એ ફેક્ટરી માંથી વધેલા કચરા માંથી બને છે. જેમાં પાણી નાખી ને પીવાથી ખુબ જ હાનીકારક સાબિત થઇ શકે છે.

શું તમે સફેદ માટલાનુ પાણી પીવો છો


પોસ્ટ કરનાર વિષે તો કોઈ જાણકારી નથી. પણ લોકો પણ બેફામ આવી ખબરો ને સેર કરે છે અને આં ન્યુઝ પણ ખુબ જ વાઈરલ થઈ અને લોકો આવું માનવા પણ મંડ્યા કે સાચે આવું જ હશે સફેદ માટલા ફેક્ટરી માંથી નીકળતા કચરા માંથી બને છે.

Health : શું તમે ફોન ને Toilet માં લઈ જાવ છો ? આ બીમારીનું છે મુખ્ય કારણ


આ સાચી માહિતી લોકો સુધી પહોંચે તે માટે અમે આ માહિતી આપને જણાવીએ છીએ કે, તમને જણાવી દઈએ કે આ મેસેજ એક અફવા છે…

આ વાત ની જડ સુધી પહોચવા માટે અમુક લોકો એક ફેમસ માટલા બનાવવા વાળા ભાઈ પાસે ગયા અને ત્યાં જઈ અને પુછતાછ કરી કે શું છે આ વાત ની હકીકત ?

હાલ ઘણા મેસેજ WhatsApp માં ફરે છે, કે સફેદ માટલાનું પાણી પીવું જોઈએ નહિ પણ શું આ ખરેખર સાચું છે ?

જાણો ! સત્ય હકિકત અને પછી સેર કરશો…

તે કોઈ જાણ્યા વિના આ મેસેજને સેર કરી રહ્યા છે, ત્યારે આ કામ કરતા એક ભાઈ એ કહ્યું કે આ માટલામાં કાળી માટી જ ઉપયોગમાં લેવામાં આવી છે જયારે આ કાળી માટીને ૯૦૦ ડિગ્રીથી ઉપર પકવવામાં આવે છે ત્યારે આ કાળી માટી માંથી સફેદ માટી થઇ જાય છે આમાં કોઇપણ પ્રકારની રાસાયણિક કચરો કે બીજું કઈ પણ ઉપયોગ કરવામાં આવતો નથી અને આ મેસેજ સફેદ માટલામાં પાણી પીવું જોઈએ નહિ તેવો આ મેસેજ તદ્દન ખોટો છે અને આ મેસેજથી ખુબ જ દુખ છે અને નાના માણસો જે માટલા બનાવે છે તેને નુકસાન પણ થયું છે અને આ જ પ્રક્રિયાને તમે રૂબરૂ જોઈ શકો છો,

Health Tips : 10 સંકેતો જે તમને તમારા બાળકને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે

વીટીવીની ટીમ પણ આ બાબતે ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટ પર પહોંચીને તપાસ કરી હતી, આ તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ માટલા ગુજરાત ફર્ટીલાઇઝર કંપનીમાંથી કાઢી નાખેલા કચરા માંથી નથી બનતું. તે સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ નથી તેથી આ વાયરલ મેસેજ તદન ખોટો છે,

આ માટીના ઘડાના  ફાયદા:

માટીના વાસણમાંથી પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનું તાપમાન સામાન્ય કરતા થોડું ઓછું હોય છે, જે ઠંડક આપે છે. તે પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે. આ પીવાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ પણ વધે છે.

રેફ્રિજરેટરના પાણી કરતાં તે વધુ ફાયદાકારક છે કારણ કે તેનું સેવન કરવાથી કબજિયાત અને ગળા જેવી સમસ્યાઓ થતી નથી. આ સિવાય ફક્ત પોટી પાણી જ શરીરને ઠંડુ પાડે છે.
reporter17.com

Tags

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!