આ વખતે ભારતીય ટીમ World Cup (વર્લ્ડ કપ) 2023 Rohit Sharma (રોહિત શર્મા) ની
આગેવાનીમાં રમશે. ભારતીય ટીમે વર્ષ 2019માં વિરાટ કોહલીની આગેવાનીમાં વર્લ્ડ
કપમાં ભાગ લીધો હતો. જો કે આ વખતે વર્લ્ડ કપ 2023નો ટુર્નામેન્ટ ભારતમાં જ
રમાડવામાં આવી રહ્યો છે, જે 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે.
મેગા ઈવેન્ટ પહેલા રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ
રહ્યો છે, જેમાં તે ક્રિકેટના અમુક નિયમો બદલવાની વાત કરી રહ્યો છે. તેમનું આ
નિવેદન હાલ ક્રિકેતે જગતમાં ચર્ચાનો વિષય છે.
રોહિત શર્માએ આ નિયમમાં ફેરફારની માંગ કરી હતી
વર્લ્ડ કપ 2023ની શરૂઆત પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માનું એક નિવેદન સમાચારોમાં
છે, જેમાં તે ક્રિકેટમાં સિક્સરના નિયમમાં બદલવાની વાત કરી રહ્યો છે. રોહિત
શર્માનું માનવું છે કે બેટ્સમેન જેટલી લાંબી સિક્સર મારે છે, તેને સિક્સરની લંબાઈ
પ્રમાણે રન મળવા જોઈએ. હકીકતમાં, તાજેતરમાં જ રોહિત શર્માએ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ
વિમલ કુમારને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો.
જેમાં રોહિતને પૂછવામાં આવ્યું હતું કે, ક્રિકેટમાં એવો કયો નિયમ છે જેને તમે
બદલવા માંગો છો? આ પ્રશ્નનો જવાબ આપતાં રોહિતે કહ્યું, 'રન સિક્સરની લંબાઈ
પ્રમાણે આપવા જોઈએ. એક ઉદાહરણ આપતા તેણે કહ્યું કે જો સિક્સનું અંતર 90 મીટર હોય
તો બેટ્સમેનને 8 રન મળવા જોઈએ, જ્યારે સિક્સની લંબાઈ 100 મીટર હોય તો બેટ્સમેનને
10 રન મળવા જોઈએ.
આ પહેલા પણ આવા નિવેદન આપી ચૂક્યા છે રોહિત શર્મા
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે રોહિત શર્માએ આવું નિવેદન આપ્યું હોય. તેણે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ દરમિયાન પણ આવું જ એક નિવેદન આપ્યું હતું. વર્લ્ડ ટેસ્ટ
ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હતી.
આ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ રોહિત શર્માએ એક
ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં એક મેચ નહીં પરંતુ 3
મેચની સિરીઝ હોવી જોઈએ. તેમના આ નિવેદનની ખૂબ ચર્ચા થઈ હતી.
ટીમ ઈન્ડિયા 8 ઓક્ટોબરથી વર્લ્ડ કપમાં પોતાની શરૂઆત કરશે
રોહિત શર્મા પેહલીવાર ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કમાન સંભાળતો જોવા મળશે.
ભારતીય ટીમ 8 ઓક્ટોબરથી વર્લ્ડ કપ 2023માં પોતાના અભિયાનની શરૂઆત કરશે, જ્યાં
તેનો સામનો વર્લ્ડ કપની સૌથી સફળ ટીમ એવી ઓસ્ટ્રેલિયા સામે હશે. આ મેચ ચેન્નાઈના
ચેપોક સ્ટેડિયમમાં રમાશે.
તમારું શું માનવું છે આ નિયમ આવવો જોઈએ કે નહિ ? તો Comment માં અમને જણાવો