Type Here to Get Search Results !

ગુમ ગયેલા ક્રિકેટર્સ T-20 લીગમાં ચમક્યા

હેલો દોસ્તો, આજે અમે તમારા માટે તાજા સમાચાર લઇ ને આવ્યા છીએ. આજના તમામ તાજા અને સાચા સમાચાર નીચે મુજબ છે. અને સમયાંતરે ઉપડૅટ કરતા રહેશું 

Dt. 27-04-2023

ગુમ ગયેલા ક્રિકેટર્સ T-20 લીગમાં ચમક્યા

ગુમ ગયેલા ક્રિકેટર્સ T-20 લીગમાં ચમક્યા


આ સિઝનમાં અજિંક્ય રહાણેની નવી સ્ટાઈલ જોવા મળી

આ સિઝનમાં આપણને એક નવો અજિંક્ય રહાણે જોવા મળ્યો છે. 15 મહિના પછી ભારતીય ટેસ્ટ ટીમમાં પરત ફરનાર રહાણે આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે. તેણે આ વર્ષે IPLમાં પાવરપ્લેમાં 222.22ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.


મોહિત શર્મા ગુજરાત માટે હીરો સાબિત થઈ રહ્યો છે

ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર મોહિત શર્માએ આ સિઝનમાં પોતાના શાનદાર પ્રદર્શનથી ચોંકાવી દીધા છે. મોહિતને ત્રણ વર્ષ બાદ IPLમાં મેચ રમવાની તક મળી છે. અગાઉ તેણે IPL 2020માં માત્ર એક જ મેચ રમી હતી. ત્યાર પછી તે IPLની કોઈપણ ટીમના પ્લેઇંગ-11નો ભાગ બન્યો નહોતો, પરંતુ સારી વાત એ છે કે તેનું પુનરાગમન ધમાકેદાર રહ્યું છે.

પીયૂષ ચાવલાએ છેલ્લી ઈન્ટરનેશનલ મેચ વર્ષ 2012માં રમી હતી

IPL 2021માં માત્ર એક જ મેચ રમનાર પીયૂષ ચાવલા IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે. IPL 2022ના ઓક્શન તે વેચાયો નહોતો. પીયૂષ ચાવલાએ આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી કુલ 6 મેચમાં 9 વિકેટ લીધી છે. આ દરમિયાન તેની ઇકોનોમી પણ માત્ર 6.87ની રહી છે.

અમિત મિશ્રાને IPL 2022માં કોઈ ખરીદનાર મળ્યો નહોતો

લખનઉ સુપર જાયન્ટ્સના સ્ટાર સ્પિનર ​​અમિત મિશ્રાને IPL 2022ના મેગા ઓક્શનમાં કોઈ ખરીદનાર નહોતો મળ્યો, જેના કારણે બધાને લાગ્યું હતું કે હવે તેની કારકિર્દી ખતમ થઈ ગઈ છે, પરંતુ પછી IPL 2023 મિની ઓક્શનમાં તેને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે બેઝ પ્રાઈસ (50 લાખ) પર ખરીદ્યો હતો.

સંદીપે ચેન્નઈ સામે સતત ત્રણ યોર્કર ફેંક્યા હતા

રાજસ્થાન રોયલ્સ (RR)નો સ્ટાર ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કિષ્ના ઈજાના કારણે IPL 2023માંથી બહાર થઈ ગયો છે. આ પછી રાજસ્થાને સંદીપ શર્માને પોતાની ટીમમાં સામેલ કર્યો. IPL 2023ના મિની ઓક્શનમાં સંદીપને કોઈ ટીમે ખરીદ્યો નહોતો. અત્યાર સુધીમાં તેણે પાવરપ્લે અને ડેથ ઓવર્સમાં શાનદાર બોલિંગ કરી છે.

Dt. 22-04-2023

કુલરમાંથી મળ્યો વિદ્યાર્થીનો મૃતદેહ


MP ભીંડમાં ટ્યુશન માટે ગયેલા વિદ્યાર્થીની લાશ પડોશીના શિક્ષકના ઘરના કૂલરમાં મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હત્યા કેસમાં પોલીસે ચાર લોકો વિરુદ્ધ FIR નોંધી છે. તેમજ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

મધ્યપ્રદેશના ભીંડમાં ટ્યુશન માટે ગયેલા વિદ્યાર્થીની લાશ પડોશીના શિક્ષકના ઘરમાં રાખવામાં આવેલા કુલરમાં મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે હત્યાના કેસમાં ચાર લોકો વિરુદ્ધ FIR નોંધી છે. આ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

  જોકે, મૃતદેહ મળ્યા બાદ પરિવારજનોએ મૃતદેહને રોડ પર મૂકીને રોડ બ્લોક કરી દીધો હતો અને ચોથા આરોપીની ધરપકડની માંગ કરી હતી. મળતી માહિતી મુજબ, મછંદ વિસ્તારમાં રહેતા સુશીલ ત્રિપાઠીનો પાંચ વર્ષનો પુત્ર ગુલ્લુ ત્રિપાઠી પડોશમાં રહેતા અટલ ચૌરસિયાના ઘરે ટ્યુશન ભણવા જતો હતો.

ક્લાસીસ ન ચાલ્યા તો શિક્ષક નકલી IAS બન્યો 

ક્લાસીસ ન ચાલતાં શોર્ટકટ અપનાવ્યો

રાજકોટ નકલી IB અધિકારી બનીને છેતરપિંડી આચરનાર ઠગ હિતેશ ઠાકર મૂળ વડોદરાનો વતની છે. તે વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી તુલસીધામ સર્કલ પાસેની શાંતિકુંજ સોસાયટીમાં રહેતો હતો. 

તમારે ત્યાં દરોડા પડી શકે છે

ફરિયાદીએ આગળ જણાવ્યું હતું કે 'અમારે માલધારી ફાટક પાસે વિજયરાજ આયોન પ્લેટિંગ નામે હાર્ડવેર અને વોચ કેશના પ્લેટિંગ કોટિંગની કંપની છે, જેમાં વિજયભાઈના સગા બનેવી દિનેશભાઇ સોજીત્રા, નિલેશ પરમાર ડિરેક્ટર છે. જામનગર ખાતે ભાગીદારી પેઢીમાં વિજયભાઈ અને રૂપમબેન ચૌધરી ભાગીદાર છે. આ બન્ને પેઢી સાથે સંકળાયેલાં રૂપમબેન અને સૌમ્યાબેન સાથે મારા ભાઈને મતભેદ ચાલતા હતા. આ વાતની હિતેશને જાણ થઈ ગઈ હતી. રૂપમબેનના પતિ અંજનીકુમાર સેન્ટ્રલ એક્સાઈઝમાં નોકરી કરે છે, જ્યારે સૌમ્યાબેનના પતિ રાજેશભાઈ GSTમાં અગાઉ નોકરી કરતા હતા. હિતેશ ઠાકરે જણાવ્યું હતું કે આ બન્ને વગદાર વ્યક્તિઓએ ધંધાકીય વિવાદ વચ્ચે GST અને ઈન્કમટેક્સ વિભાગમાં ફોન કરીને ઈનપુટ આપ્યા છે, જેથી તમારે ત્યાં દરોડા પડી શકે છે. હિતેશ ઠાકરે આટલી જાણકારી આપવાની સાથે જ આ કથિત મુસીબતમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ બતાવ્યો હતો.

ઉદ્યોગપતિને કહ્યું, 'તમારે ત્યાં ITની રેડ પડવાની છે, કહો તો સેટિંગ કરી આપું', એ બે કાગળથી ત્રણ વર્ષના નાટકનો ભાંડો ફૂટ્યો તમારા વતી IB કેસ લડશે હિતેશ ઠાકરે જણાવ્યું હતું, 'તમારે ત્યાં GST અને ઈન્કમટેક્સ વિભાગના દરોડા ન પડે એ માટે ગુજરાત હાઇકોર્ટમાંથી હુકમ લઈ આવવો પડશે. આ ઉપરાંત રાંચી કોર્ટમાં છેતરપિંડીનો કેસ ચાલે છે, એની સામે સ્ટે લાવવો પડશે. જૂનાગઢમાં રૂપમબેન સામે NDPSનો કેસ ચાલે છે, એ કેસમાં તમે સામેલ નથી એવું NOC લાવવું પડશે. આ બધી બાબતે તમારા વતી IB કેસ લડશે એવું કહી ફેબ્રુઆરી 2022થી માર્ચ 2023 દરમિયાન 33 લાખ 23 હજાર રૂપિયા પડાવ્યા હતા. સૌથી નવાઈની વાત એ છે કે લાખો રૂપિયા લીધા એના બદલામાં હાઇકોર્ટના સ્ટે, રાંચી કોર્ટથી NOC, NDPS કેસનો NOC લેટર વગેરે વ્હોટ્સએપથી મોકલ્યા પણ હતા.' હવે હિતેશ ઠાકરનાં પાપનો ઘડો ફૂટવાની તૈયારીમાં હતો. 

ઠગાઈ માટે IBના જ ડેપ્યુટી ડાયરેક્ટર બનવાનું શા માટે પસંદ કર્યું? 

સેન્ટ્રલ IBના જ ડેપ્યુટી ડાયરેક્ટર બનવાનું શા માટે પસંદ કરવામાં આવ્યું એ અંગે આરોપીને રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતાં આરોપી હિતેશ ઠાકરે પોલીસને જણાવ્યું હતું કે સેન્ટ્રલ IB કે સ્ટેટ IB સાથે લોકોનો સીધો સંપર્ક હોતો નથી અથવા તો નહિવત્ જ જાણકારી હોય છે. સામે જે વ્યક્તિને છેતરવાની હોય તે પણ સેન્ટ્રલ IB અંગે કશું ઊંડાણપૂર્વક જાણતી ન હોય અને એનો ફાયદો મળી શકે છે. મોટા ભાગે IBની ઓળખ ગુપ્ત રહેતી હોય છે, જેથી ભાંડો ફૂટી જવાની સંભાવના પણ ખૂબ ઓછી હોય છે, એટલે આસાનીથી લોકોનો વિશ્વાસ કેળવવા IBના અધિકારી બનવાનું પસંદ કર્યું.

ક્રિકેટ રમતાં 14 વર્ષનાં બાળકનું હાર્ટએટેકથી મોત

આ અંગે મળતી જાણકારી અનુસાર મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં વાનોરી વિસ્તારમાં 14 વર્ષીય વેદાંત પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો. થોડીવાર ક્રિકેટ રમ્યા પછી બાળકને છાતીમાં તીવ્ર દુખાવો શરૂ થયો. તે મેદાન પર જ ઢળી પડ્યો અને તરફડવા લાગ્યો. વેદાંત સાથે રમતા અન્ય બાળકો તુરંત જ વેદાંતના પિતાને આ અંગે જાણ કરવા પહોંચ્યા. 

પોલીસનું શું કહેવું છે?

તબીબોએ પુષ્ટિ કરી કે વેદાંતનું મૃત્યુ કુદરતી કારણોસર થયું છે. જેના કારણે વાનવાડી પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. હાર્ટ એટેકથી માત્ર 14 વર્ષના છોકરાના મૃત્યુના સમાચાર વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગયા અને બધા ચોંકી ગયા. બીજી તરફ વેદાંતના આકસ્મિક મૃત્યુથી સમગ્ર પરિવાર શોકમાં છે.

-----------------------------------------------------------------------------------------

Dt : 21-04-2023 Breaking News

ગોધરા ટ્રેન કોચ બર્નિંગ કેસ પર SC: સુપ્રીમ કોર્ટે શુક્રવારે (21 એપ્રિલ) 2002 માં ગોધરામાં ટ્રેનના કોચને આગ લગાવીને 59 લોકોની હત્યા કરવાના દોષિત 8 લોકોને જામીન આપ્યા હતા. તમામ દોષિતોને નીચલી અદાલત અને હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. દોષિતોને 17-18 વર્ષ જેલમાં વિતાવવાના આધારે જામીન આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે નીચલી અદાલત દ્વારા મૃત્યુદંડની સજા સંભળાવતા 4 દોષિતોને જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે.

ગોધરાકાંડ કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય


અગાઉ 13 મે, 2022 ના રોજ, કોર્ટે દોષિતોમાંના એક, અબ્દુલ રહેમાન ધંતિયા ઉર્ફે કનકટ્ટોને છ મહિના માટે વચગાળાના જામીન મંજૂર કર્યા હતા કારણ કે તેની પત્ની ટર્મિનલ કેન્સરથી પીડિત હતી અને તેની પુત્રીઓ માનસિક બિમારીથી પીડિત હતી. 11 નવેમ્બર 2022ના રોજ કોર્ટે તેમના જામીનને 31 માર્ચ 2023 સુધી લંબાવી દીધા હતા.

ગયા વર્ષે ડિસેમ્બરમાં, સુપ્રીમ કોર્ટે ફારુક નામના દોષિતને જામીન આપ્યા હતા, જે આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો, કારણ કે તે તેની સજાના 17 વર્ષની સજા ભોગવી ચૂક્યો છે અને આ કેસમાં તેની ભૂમિકા ટ્રેનમાં પથ્થરમારાની હતી.

ગોધરા ટ્રેનની ઘટના ક્યારે બની?

જણાવી દઈએ કે 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં આગ લાગી હતી. કોચમાં કાર સેવકો હતા, જેઓ અયોધ્યાથી આવી રહ્યા હતા. જેમાં 58 લોકો દાઝી ગયા હતા. ભારતના વિભાજન પછી ગોધરાની ઘટનાએ દેશમાં સૌથી ભયાનક કોમી રમખાણોને જન્મ આપ્યો હતો. માર્ચ 2011માં, ટ્રાયલ કોર્ટે 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા, જેમાંથી 11ને મૃત્યુદંડ અને બાકીના 20ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. અન્ય 63 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. 2017 માં, ગુજરાત હાઇકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી અને 20 અન્યને આપવામાં આવેલી આજીવન કેદની સજાને યથાવત રાખી હતી. દોષિતો વતી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી 2018થી પેન્ડિંગ હતી.

જામનગર ભાજપમાં ભંગાણ

કોંગ્રેસ સભ્યની એન્ટ્રી થતા કાલાવડ તાલુકા ભાજપમાં ભંગાણ, APMC ચૂંટણી પહેલાં 25થી વધુ આગેવાનોએ ધરી દીધા રાજીનામાં

વાત જાણે એમ છે કે, કોંગ્રેસ સભ્ય મુકેશ સાવલિયાના ભાજપમાં આગમન બાદ ભડકો થયો છે. મહત્વનું છે કે, આગામી 28 એપ્રિલના રોજ કાલાવડ APMCની ચૂંટણી છે. આ તરફ હવે APMCની ચૂંટણી પહેલા નવાગામના ભાજપના 25થી વધુ આગેવાનોએ રાજીનામાં ધરી દીધા છે. 
Tags

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!