Type Here to Get Search Results !

World cup 2023 Update : હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાંથી બહાર ! જાણો કોને મળ્યું સ્થાન !

Hardik Pandya World cup 2023: ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે, ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. જાણો કોને મળ્યું સ્થાન !

હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાંથી બહાર ! જાણો કોને મળ્યું સ્થાન !


World cup 2023 : ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે, ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. BCCIએ તેમના સ્થાને ફાસ્ટ બોલર ને સ્થાન આપ્યું છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમની આગામી મેચ 5 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા સામે થવાની છે. જો કે, ટીમ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી ચૂકી છે. ગયા મહિને પુણેમાં બાંગ્લાદેશ સામેની ભારતની વર્લ્ડ કપ મેચ દરમિયાન બોલિંગ કરતી વખતે પંડ્યાને ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી, જેના કારણે તેને ટીમની બહાર બેસવું પડ્યું હતું. એવી અપેક્ષા હતી કે પંડ્યા સેમિફાઈનલ સુધી ફિટ થઈ જશે પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે પંડ્યા વર્લ્ડ કપમાં વાપસી કરી શકશે નહીં.

હાર્દિક પંડ્યા ને શું થયું છે ?

હાર્દિક પંડ્યા World Cup 2023 ની મેચ દરમિયાન પંડ્યાને ડાબા પગની ઘૂંટીમાં ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો ત્યારબાદ પ્રેકિટસ માં જોડાયો ન હતો એવી અટકળો હતી કે તે સેમિફાઈનલ માં ઉપલબ્ધ થઇ જશે પણ આવું ના થઇ શક્યું. ઇજા કેટલી ગંભીર છે તે આ સમાચાર પરથી અનુમાન લગાવી શકાય છે કે સંપૂર્ણ World Cup માંથી બહાર થઇ ગયો છે

હાર્દિક પંડ્યા ની જગ્યા પર કોની એન્ટ્રી ? 

ઇજાગ્રસ્ત હાર્દિક પંડ્યા સંપૂર્ણ World Cup 2023 માંથી બહાર થયા બાદ BCCI એ આ બાબત માં Updates આપી છે અને તેના સ્થાને પ્રસિદ્ધ ક્રિષ્ણા ને તક મળી છે જયારે સંજુ સેમ્સન ને આગામી World Cup સુધી રાહ જોવી પડશે એવું લાગી રહયું છે.

તમને જણાવી દઈએ કે પ્રસિદ્ધ કૃષ્ણને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. શનિવારે ટૂર્નામેન્ટની ઇવેન્ટ ટેકનિકલ કમિટી તરફથી મંજૂરી મળ્યા બાદ હાર્દિકની જગ્યાએ ફાસ્ટ બોલરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

તમને આ નિર્ણય કેવો લાગ્યો Comment માં જણાવો ! તમારા મત મુજબ કોને શામેલ કરવું જોઈએ ? સંજુ સેમ્સન, રીન્કુ સિંહ, શિવમ દૂબે 

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.



Breaking News Group!